બારોટજીનું આગમન




Barot Ni Kalme



બારોટજીનું આગમન

.                              હજુ પચીસ-ત્રીશ વર્ષ પહેલાં તો સમાજના દરેક કુટુંબોમાં બારોટજીનું આગમન થાય અને ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ રહે. ડેલીઓથી જ બારોટજી આશીર્વાદ આપતાં આપતાં પ્રવેશ કરે. સરસ મજાની ઘોડી હોય‚ માથે આંટિયાળી પાઘડી ને ગળામાં રૂદ્રાક્ષના પારાની ત્રણચાર માળાયું પડી હોય‚ ખંભે વંશાવળીના ટીપણાનો લગભગ ત્રણેક ભારનો ખડિયો લટકતો હોય‚ એક હાથમાં હોકો પકડ્યો હોય‚ બીજા હાથમાં ચાંદીની મૂઠવાળી લાકડી કે રૂપકડી દેશી સિતાર ઝાલી હોય અને ભલકારા કરતાં બારોટજીનો પ્રવેશ થાય…


‘ચોરાશી ચારણ્યું‚ નવ કોટિ મારવાડણ્યું‚

બરડાના બેટની‚ પાટણના પાદરની ;

રોઝડાના રેવાસની‚ કળકળિયા કૂવાની‚

તાંતણિયા ધરાની‚ કાછ પાંચાળની ;

અંજાર આંબલીની‚ ગરનારી ગોખની‚

ચુંવાળના ચોકની‚ થાનકના પડથારાની ;

કડછના અખાડાની‚ નવલાખ લોબડિયાળીયું‚

જોગણી માવડિયું તમારા જતન કરે બાપ !…’


 .                               નવા નકોર ઢોલિયા ઉપર મૂંઢા હાથનું નવી આણાંતનું ગાદલું ને ઉપર રેશમી રજાઈ પાથરી બારોટજીને આસન અપાય‚ ઢોલિયે બેસીને બારોટજી ખડિયામાંથી અસર મળવિયા અફીણનો ગાંગડો કાઢે‚ અંજારની પાણીદાર સૂડીએ વાતરીને નાનકડી ખરલમાં ઘૂંટે. ખસરક ઘૂંટે ખસરક ઘૂટાંગ… ખસરક ઘૂટાંગ… ત્યાં તો ગામમાંથી એની હેડીના બીજા યજમાનો ય ‘રામ રામ બારોટજી…!’ બોલતાં આવી પહોંચ્યા હોય.
આ બારોટુ નું માન છે , અને આ સમાજ ની જગત ની સંસ્કૃતી  છે.

Share this

Related Posts

First